અમદાવાદ : ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા પાંચમાં માળેથી કુદ્યા, 27નું કરાયું રેસ્ક્યુ

ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

New Update
  • આત્રેય ઓર્ચિડ એપા.માં આગ લાગવાનો મામલો

  • ચોથા ફ્લોર પર લાગેલી આગથી દોડધામ મચી

  • લોકો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કુદ્યા

  • ફાયર લાશ્કરોએ 27 લોકોનું કર્યું રેસ્ક્યુ

  • લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ 

અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી,અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હોવાનું કહેવાય છે. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતોજેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેમ જેમ ઉપરના માળે આગ લાગીતેમ તેમ લોકોએ પોતાને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં પાંચમાં માળેથી કૂદી પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ભેગા થયા અને કૂદકા મારનારી મહિલા સહિતના લોકોને બચાવવા માટે ગાદલા અને ચાદરનો ઉપયોગ કર્યો હતોજેનાથી વધુ ઇજાઓ કે જાનહાનિ ટાળી શકાય હતી.

બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગ અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાતીવ્ર ગરમી અને આગના ઝબકારાથી બચાવ કામગીરી દરમિયાન 11 ફાયર ફાઇટરોને નાની-મોટી ઇજાઓ થઈ હતીપરંતુ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તમામને સારવાર માટે એપોલો હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 27 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.

New Update
  • અમદાવાદ ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટના

  • મૃતદેહના કરવામાં આવ્યા DNA ટેસ્ટ

  • વિજય રૂપાણીના મૃતદેહની થઇ ઓળખ

  • રાજકોટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

  • અત્યાર સુધીમાં 14 મૃતદેહો સોંપવામાં આવ્યા 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.DNA ટેસ્ટ બાદ તેમના મૃતદેહની ઓળખ થઇ હતી,અને રાજકોટ ખાતે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે.જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે.

વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કેઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4મહેસાણાના 4વડોદરાના 2ખેડાનો 1અરવલ્લીના 1બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.