/connect-gujarat/media/media_files/2024/10/30/xuG0K8ZPUmpGCorY2Tnb.jpg)
અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે 31 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવા ચાલુ રહેશે. આ નિર્ણય ફટાકડા ફોડવા અને તેની મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ મેટ્રોની સેવાનો સમય સવારે 6.20 થી રાત્રીના 10.00 કલાક સુધીનો છે.પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તથા મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.