અમદાવાદ : ડ્રાયફ્રુટ્સના ધંધામાં રોકાણ થકી રૂ. 1.75 કરોડ ઉપરાંતની છેતરપિંડીની ઘટનાથી ચકચાર..!

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી.

New Update

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેમાં રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કરાવીને મૂડી કેવળતર પણ ચૂકવ્યું નહોતું.

મળતી માહિતી અનુસારસુરતના દીપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના ભાવેશ દરજી સાથે મુલાકાત થઇ હતીઅને પોતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતુંઅને વિશ્વાસ કેળવી પોતાના એમ.ડી. એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફ્રુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કેજેનું ગોડાઉન કઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી ભાવેશ દરજીને વિશ્વાસમાં લીધા હતાઅને ડ્રાયફ્રુટ્સના ધંધામાં ટૂંકાગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું.

આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કેયોગ્ય વળતર મળ્યું નહોતું. તેથી તેમણે દીપેશ મકવાણા નો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો. અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દીપેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને સાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતીજ્યારે મુખ્ય આરોપી દિપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.