અમદાવાદ : ડ્રાયફ્રુટ્સના ધંધામાં રોકાણ થકી રૂ. 1.75 કરોડ ઉપરાંતની છેતરપિંડીની ઘટનાથી ચકચાર..!

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી.

New Update

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેમાં રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કરાવીને મૂડી કેવળતર પણ ચૂકવ્યું નહોતું.

Advertisment

મળતી માહિતી અનુસારસુરતના દીપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના ભાવેશ દરજી સાથે મુલાકાત થઇ હતીઅને પોતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતુંઅને વિશ્વાસ કેળવી પોતાના એમ.ડી. એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફ્રુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કેજેનું ગોડાઉન કઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી ભાવેશ દરજીને વિશ્વાસમાં લીધા હતાઅને ડ્રાયફ્રુટ્સના ધંધામાં ટૂંકાગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું.

આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કેયોગ્ય વળતર મળ્યું નહોતું. તેથી તેમણે દીપેશ મકવાણા નો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો. અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દીપેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને સાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતીજ્યારે મુખ્ય આરોપી દિપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment