ગુજરાત રાજ્યમાં કોરોનાના 376 નવા પોઝીટીવ કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,205 થઈ

Update: 2020-05-27 15:49 GMT

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 23 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 410 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15,205 પર પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ મુત્યુઆંક 938 પર પહોંચ્યો.

રાજ્યમાં આજે 376 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 256, સુરત 34, વડોદરા 29, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ-પાટણ-કચ્છ 2-2, ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1-1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 23 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 19, સુરત 2, મહીસાગર અને વડોદરામાં એક-એક મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7547 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6720 એક્ટિવ કેસ છે જેમાં 92 વેલ્ટીલેટર પર છે અને 6628 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યમાં કેસનો ડબલિંગ રેટ 24.84 દિવસ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4550 ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 93 હજાર 863 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News