અમદાવાદ : રાજપથ ક્લબની ચૂંટણીમાં 10 બેઠકો માટે 12 મુરતિયાઓ મેદાનમાં

Update: 2020-11-03 10:58 GMT

અમદાવાદ શહેરની જાણીતી રાજપથ ક્લબની ચૂંટણી યોજાઈ રહી છે .ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા ડિરેક્ટરના 10 પદ માટે 12 જેટલાં ઉમેદવારો મેદાનમાં રહ્યા છે . રાજપથ ક્લબમાં ડિરેક્ટર બનવા માટે વર્ષોથી ક્લબમાં એક્ટિવ મેમ્બર રાહ જોતા હોય છે. જેમને સત્તા અને સન્માન આપવામાં આવે છે. કાયદાની રૂએ ક્લબના 10 મેમ્બર 10 ડિરેક્ટર બની શકે અને તેનાં પણ નિયમો હોય છે.


આ વર્ષે 10 ડિરેકટર પદ માટે 16 જેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લાં દિવસે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.ચૂંટણી યોજાય તે પહેલાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા સમજાવવામાં આવે છે પરંતુ આ વખતે ડિરેક્ટરના 10 પદ માટે 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જેમાં સમજાવટ બાદ આખરે 4 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. હવે ડિરેક્ટર્સના 10પદ માટે 12 ઉમેદવારો રાજપથ ક્લબમાં ડિરેક્ટરની ચૂંટણી લડશે.


કોરોના કાળમાં લોકો મતદાન કરવા માટે ક્લબમાં એકઠા ન થાય તે માટે ક્લબ દ્વારા ઈ-વોટિંગ સિસ્ટમ અપનાવવામાં આવી છે. ક્લબમાં વર્ષોથી પાવર પેનલનું રાજ હોવાથી આ વર્ષે પણ ઈ-વોટિંગ સિસ્ટમ હોવા છતાં પાવર પેનલ આવે તેવી પ્રબળ શક્યતા રહેલી છે જે પણ પેનલ આવશે તે અમદાવાદ ની પ્રતિષ્ઠત રાજપથ કલબની બાગડોર સંભાળશે

Tags:    

Similar News