અમદાવાદની સિવિલ સહિતની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓ તથા તેમના સ્વજનોને બાપા સીતારામ સંસ્થા તરફથી વિના મુલ્યે ભોજન આપવામાં આવી રહયું છે.
દેશમાં 21 દિવસનું લોક ડાઉન છે ત્યારે રાજયના મહાનગર અમદાવાદની હોસ્પિટલો માં બહારગામથી આવેલ દર્દીઓ અને અને તેના સ્વજનો માટે બાપા સિતરામ સંસ્થા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. લોક ડાઉન ને કારણે હોસ્પિટલની બહાર અને આસપાસના વિસ્તારોને નાકાબંધી કરવામાં આવી છે જેને કારણે અહીં દાખલ થયેલા દર્દીઓ અને રિલેટિવસ માટે જમવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે સંસ્થા દ્વારા સવાર અને સાંજ એમ બે ટાઈમ જમવાનું પહોંચાડવામાં આવી રહયું છે. રોજના એક હજાર કરતાં વધારે લોકો તેનો લાભ લઇ રહયાં છે.