અમદાવાદ : અંગત અદાવતે જુહાપુરામાં ગેંગવોર, ફાયરિંગ અને તલવારો ઊછળતા નોંધાય ફરિયાદ...

અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી

Update: 2022-12-06 13:13 GMT

અમદાવાદ શહેરમાં ફરી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ગત સોમવારે બીજા તબક્કાનું મતદાન થયું હતુ. જેની મોડી રાતે જુહાપુરામાં ગેંગવોર અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જુહાપુરા વિસ્તારમાં અંગત અદાવતમાં કુખ્યાત નજીર વોરા પર ફાયરિંગ થયું હતું. જેમાં પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી નઝીર વોરા અને તેના પુત્ર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કુખ્યાત નઝીર વોરા સામે ફાયરિંગ થતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો. અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી. મતદાન બાદ આ ઘટના બનતા કિસ્સો તમામનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું હતું. નઝીર વોરા પર હુમલાનો આ કોઈ પહેલો બનાવ નથી, અગાઉ પણ નઝીર વોરા પર ફાયરિંગ થયું હતું. જુહાપુરામાં છેલ્લા કેટલા સમયથી ગેંગવોર ચાલી રહ્યો છે, ત્યારે હાલ તો પોલીસે બન્ને પક્ષે ફરિયાડ નોંધી વધુ તાપસ શરૂ કરી છે.

Tags:    

Similar News