અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 101 દાતાઓએ કર્યું અંગોનું દાન, 301 લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ 101મું અંગદાન થયું છે.

Update: 2023-01-30 10:50 GMT

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ 101મું અંગદાન થયું છે. રાજસ્થાન ભીલવાડા 35 વર્ષીય ભંવરલાલ ખટીકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.રાજસ્થાન ભીલવાડા 35 વર્ષીય ભંવરલાલ ખટીક માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.બ્રેઇન ડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTO ની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણ ને સર્વોપરી રાખીને ભંવરલાલના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટી ની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.સિવિલ સુપ્રીટેન્ડન્ટ 101 માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકાર પરિણામે જ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે.આ બે વર્ષમાં 101 અંગે દાતાઓ દ્વારા મળેલ 325 અંગોથી 301 જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે

Tags:    

Similar News