અમદાવાદ: IPL ક્વોલિફાયર-2 મેચ નિહાળવા ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ, સ્ટેડિમ બહાર લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા

આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે.

Update: 2023-05-26 10:45 GMT

આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે. એને લઈને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, આજે સવારે પણ ટિકિટ લેવા માટે થઈ લોકોની ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી હતી પરંતુ, મેચની તમામ ટિકિટો વેચાઈ જતાં લોકો નિરાશ થઈ પાછા ફર્યા હતા. સ્ટેડિયમ બહાર બપોરથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે જે ટિમ વિજેતા બનશે એ આઈ.પી.એલ.ની ફાયનલમાં પહોંચશે ત્યારે પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા

Tags:    

Similar News