અમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, યાત્રા પર કરાય પુષ્પવર્ષા

અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન

Update: 2022-08-12 09:52 GMT

અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

સમગ્ર દેશમાં 13થી 15 ઑગસ્ટ હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આજે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રામાં તમામ લોકો હાથમાં તિરંગો લઇને ખૂબ ઉત્સાહભેર જોડાયા હતા.યાત્રા પર ઠેર ઠેર પુષવર્ષા પણ કરવામાં આવી હતી.યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે નાગરિકો પણ જોડાયા હતા.

Tags:    

Similar News