અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે ત્રણેય રથ સાથે મહિલાઓ અને પુરુષોની ભજન મંડળીઓ જોડાય છે. આ ભજન મંડળી 19 કિમીના રૂટ પર ઢોલ-નગારા અને કરતાલ સહિત વાતવરણ ભક્તિમય બનાવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન મંડળીઓએ આકર્ષણ જગાવ્યું છે. ભગવાનના 3 રથની આગળ-પાછળ 12થી વધુ ભજન મંડળીઓ જોડાઈ છે. હાથમાં કરતાલ અને પખાલ લઇ આ ભજન મંડળીની મહિલાઓ વાતાવરણમાં ભક્તિનો રસ સીચે છે, જ્યારે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળે છે, ત્યારે આ મહિલાઓ ભક્તિ અને આસ્થામાં તરબોળ થઇ જાય છે. "જય રણછોડ, માખણ ચોર"ના નાદ સાથે ઝૂમી ઉઠે છે. એટલું જ નહીં, નાની બાળકીઓથી લઈને મોટેરા પણ ભગવાનની ભક્તિમાં ભીંજાઈ જાય છે.