ભરૂચ : કતોપોર બજારની દુકાનોના શટરો અચાનક પડી ગયાં, જુઓ કેમ

Update: 2020-11-25 12:02 GMT

અંકલેશ્વરના પિરામણ ગામના વતની અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનું નિધન થતાં ભરૂચના કતોપોર બજારના વેપારીઓએ સ્વયંભુ બંધ રાખી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

રાજયસભાના સાંસદ અહમદ પટેલે માત્ર ભરૂચ જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં નામના મેળવી હતી. છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહેલાં સાંસદ અહમદ પટેલે બુધવારની સવારે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમના આકસ્મિક નિધનથી દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે.

ભરૂચ શહેરના કતોપોર બજારના વેપારીઓએ પણ સાંસદ અહમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. સાંસદના નિધનની જાણ થતાં કતોપોર બજારના વેપારીઓએ તેમની દુકાનો બંધ કરી સ્વયંભુ બંધ પાળ્યો હતો. બીજી તરફ અંકલેશ્વર વેપારી એસોસીએશને બંધ પાળવાની અપીલ કરી છે.

Tags:    

Similar News