અંકલેશ્વર: અંદાળા ગામમાં અસામાજિક તત્વોનો આંતક, પોલીસ ફરિયાદ નોંધાઈ

Update: 2020-12-30 11:55 GMT

અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની સોસાયટીમાં રાત્રી દરમિયાન અસામાજિક તત્વોએ કેબિન બાળી નાખતા પોલીસ ફરિયાદ થવા પામી છે. અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ થી હાઇવે તરફ જવાના માર્ગ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટી નંબર 2 ખાતે રહેતા ઉર્મિલાબેન ઇશ્વરભાઇ ચૌહાણના તેઓ પોતાની રોજીરોટી માટે એક ગલ્લો ચલાવી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જેઓનો રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ગલ્લાને આગ ચાપી દેતા એક લાખ ઉપરાંતની વધુનું નુકશાન થવા પામ્યું હતું આ ઘટનાની જાણ ઉર્મિલાબેનને થતા ઉર્મિલાબેનએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા શહેર પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.

Tags:    

Similar News