બનાસકાંઠાના દિયોદરમાં યુવકની અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં કરી હત્યા!

Update: 2018-08-04 05:10 GMT

પથ્થર-ધોકાનો માર મારી યુવકને ઉંઘતો જ મોતને ઘાટ ઉતાર્યો

બનાસકાંઠાના દિયોદરમાં યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી છે. પોલીસને બિયોકપરા વિસ્તારમાંથી ભેંસાણના યુવકની લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. યુવકને પથ્થર અને ધોકા વડે માર મારી યુવકની હત્યા કરવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આ વિશે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદરમાં ભેંસાણના યુવકની કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ યુવકને પથ્થર અને ધોકા વડે માર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને જ્યારે યુવકની લાશ જોઈ તો અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક લોકોની પુછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં યુવક ભેંસાણનો રહેવાસી નીકળ્યો હતો. જેથી પોલીસે આ ઘાતકી હત્યા ક્યા સંજોગોમાં થઈ તે દિશામાં દરેક એગલોથી તપાસ કરી રહી છે.

 

Tags:    

Similar News