ભરૂચ : અંકલેશ્વર સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની કરાઇ ઉજવણી

Update: 2020-01-01 04:12 GMT

શ્રી ક્ષિપ્રા ગણેશની 32 મુદ્રાઓ પૈકીની એક મુદ્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ નજીક આવેલા રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરમાં પ્રસ્થાપિત છે. આ મંદિરના સાતમા પાટોત્સવની ઉજવણી તારીખ પહેલી જાન્યુઆરી 2020 બુધવારના રોજ કરવામાં આવશે.

અતિ પ્રભાવશાળી તેમજ તુરંત ફળ આપનાર ગૌતમ ગણેશ શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરના સાતમા પાટોત્સવ નિમિતે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી, મહાપ્રસાદી, ભંડારો, લોક ડાયરો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બની ભગવાન શ્રી ગણેશના દર્શન કરવા પધારવા માટે મંદિરના ટ્રસ્ટીઓ તરફથી જાહેર આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમોની વિગતો :

  • સવારે 8 વાગ્યાથી ગણેશ યાગનો પ્રારંભ

  • બપોરે 4.30 કલાકે શ્રીફળ હવન

  • સાંજે 5.30 કલાકે મહા પ્રસાદી

  • સાંજે 7.30 વાગ્યે મહા આરતી 

  • રાત્રે 8.30 કલાકથી લોક ડાયરો

Tags:    

Similar News