ભરૂચ : ઝઘડીયા તાલુકામાં પરણિત યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

Update: 2020-05-06 10:35 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામનો એક યુવક બાજુના ગામમાં રહેતી સગીરા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો, ત્યારે પરણિત યુવક-યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. ૨૦ એપ્રિલના રોજ ઝઘડિયા તાલુકાના એક ગામે પરણિત યુવક સાથે અન્ય યુવતી એ બન્ને પોતાની રાજીખુશીથી ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ પરણીત યુવક યુવતીને 10 દિવસ બાદ તેને પરત તેના ઘરે મૂકી આવ્યો હતો, ત્યારે આજે વહેલી સવારે પરણિત યુવકની પત્ની ખેતર લાકડા લેવા ગઈ હતી, તે દરમ્યાન ખેતરમાં આવેલા મહુડાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં પરણિત યુવક તથા તે અગાઉ જેની સાથે પ્રેમ કરતો હતો તે યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યારે ગભરાઈ ગયેલી પત્નીએ ગામના આગેવાનોને બોલાવી અને પોલીસને જાણ કરી હતી.

સમગ્ર મામલે થયેલ ફરિયાદમાં પરણિત યુવકની પત્નીએ એક સનસનીખેજ આક્ષેપ બાજુના ગામના સરપંચ તથા અન્ય 3 ઇસમો  પર મૂક્યો હતો. તેણે જણાવ્યું હતું કે, જ્યારથી તેનો પતિ યુવતીને ભગાડી ગયો છે, ત્યારથી બાજુના ગામનો સરપંચ તથા અન્ય 3 ઈસમો અવારનવાર તેના પતિને તથા સગીરાને ધરે બોલાવી સમાધાન કરી આપવા બાબતે પૈસાની માંગણી કરતા હતા. જ્યારે તેઓએ સમાધાન નહીં કરતા યુવતીના પરિવારજનો પાસે તેના પતિ પર ગત તા. ૧ મેંના રોજ ફરિયાદ કરાવી હતી. જે દિવસથી તેના પર ફરિયાદ થઇ હતી, ત્યારથી તેનો પતિ ઘરે પણ આવતો ન હતો, ત્યારે પરણિત યુવક અને યુવતી આત્મહત્યા કરવા માટે કેમ પ્રેરાયા તે રહસ્ય હજુ અકબંધ છે. હાલ તો પરણિત યુવકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આરંભી છે.

Tags:    

Similar News