ભરૂચ : પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રોનું કરાયું પુજન, વર્ષમાં એક વખત યોજાઇ છે કાર્યક્રમ

Update: 2020-10-25 09:22 GMT

દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે શસ્ત્રપુજન કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડ કવાટર્સ ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ વર્ષે ગરબા થઇ શકયાં નથી પણ લોકોની શ્રધ્ધા અને આસ્થામાં સહેજ પણ ઘટાડો થયો નથી. રવિવારે દશેરાના દિવસે ફાફડા- જલેબી આરોગવાની સાથે શસ્ત્ર પુજનના કાર્યક્રમ યોજાયાં હતાં. રાજપુત સમાજે શસ્ત્રોનું પુજન કર્યું હતું તો બીજી તરફ ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો 

હતો.જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી વિકાસ સુંડા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહયો હતો. દર વર્ષે દશેરાના દિવસે પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રપુજન કરવામાં આવે છે.

Tags:    

Similar News