ભરૂચ : અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, DPMCના ફાયર ફાઇટરો દોડી આવ્યા

Update: 2020-03-10 10:30 GMT

ભરૂચ જિલ્લાના

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલા સ્ક્રેપ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ

આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

 મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર નજીકથી પસાર

થતાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર નવજીવન હોટલના પાછળના ભાગે આવેલા સ્ક્રેપ માર્કેટમાં

એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાના પગલે આસપાસના

લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સમગ્ર બનાવની જાણ

અંકલેશ્વર DPMC ફાયર વિભાગને થતાં તાત્કાલિક ફાયર ફાઇટરો

ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ બે જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો

ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. હાલ તો ભંગારના ગોડાઉનમાં આગ

લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Tags:    

Similar News