ભરૂચ : ભીડભંજન નગરમાં લોકોને માસ્કનું વિતરણ કરાયું, કોરોના વાયરસથી સાવચેત રહેવા કરાઇ અપીલ

Update: 2020-03-25 10:46 GMT

કોરોના વાયરસના કારણે સાવચેત રહેવાના ભાગરૂપે ભરૂચ શહેરમાં વોર્ડ નં. 8ના કોર્પોરેટરની આગેવાનીમાં સ્લમ વિસ્તારમાં 400થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના પાંચબતી વિસ્તારમાં આવેલા ભીડભંજન નગરમાં સ્લમ વિસ્તારના લોકોને કોરોના વાયરસથી રક્ષણ મળે તે હેતુથી વોર્ડ નં. 8ના નગરસેવકની આગેવાનીમાં સ્થાનિક રહીશોને 400થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના વાયરસથી સાવચેત રહેવા અપીલ કરવા સાથે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ

Similar News