ભરૂચ: દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ કરી આત્મહત્યા, જુઓ શું છે કારણ

Update: 2021-03-04 06:48 GMT

દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ ગળે ફાસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કર્મચારીએ કંપનીની ટાઉન શીપમાં આવેલ મકાનમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષીય વિરેન્દ્ર ચૌધરીએ આપઘાત કરી લઈ જીવન લીલકા સંકેલી લીધી હતી. મૃતક વિરેન્દ્ર ચૌધરી દહેજ ખાતે આવેલ કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા જ્યાં ગતરોજ બપોરના ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

દહેજ પોલીસ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તપાસ કરતાં નજીકથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોઈને મારી મોતનો જવાબદાર ન ગણવોના ઉલ્લેખ સાથે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આગને મળતી માહિતી અનુસાર મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાતા હતા અને તેમનું ઓપરેશન પણ કરવાં આવ્યું હતું જો કે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમવાદી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે જેઓ માતા સાથે ભરૂચ રહેતા હતા તેઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

Tags:    

Similar News