ભરૂચ : વાગરા બાર એસોશિએશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

Update: 2020-03-24 13:10 GMT

કોરોના વાયરસથી બચવા માટે રાજ્ય સરકારે લોકડાઉનનું નોટિફિકેશન જાહેર કરતા લોકોએ ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યુ છે. જ્યારે તેનો ભંગ કરનાર લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે આ સમયે રોજેરોજ મજૂરી કરતા મજૂરીયાત વર્ગની હાલત કફોડી બનવા પામી છે, ત્યારે વાગરા બાર એશોસીએશન જરૂરિયાતમંદ પરિવારોની વ્હારે આવ્યુ હતુ. વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વાગરા ખાતે નવી નગરીમાં રહેતા લોકોને ફૂડ પેકેટ અર્પણ કરી સરાહનીય કામગીરી હાથ ધરી હતી.

Tags:    

Similar News