ભરૂચ : રામપરા ગામે પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, જાણો શું હતું પ્રેમ સંબંધના “કરૂણ” અંજામનું કારણ..!

Update: 2020-10-26 10:53 GMT

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. જેમાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પ્રેમિકાને 3 સંતાનોની વિધવા માતા પર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ હત્યારો પ્રેમી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. વાલિયા પોલીસે હત્યાનો ગુનો પ્રેમીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના 32 વર્ષીય મીના આનંદ પરિખના પતિનું અવસાન થતા તેઓ 3 સંતાનો સાથે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રામપરા ગામે તેમના પિયરમાં રહેવા આવી ગયા હતા. જોકે તેમને ધોળકાના ગણપત કબીરા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા. ગણપત કબીરા પરણિત હોવા છતાં મીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તે છેલ્લા 3 મહિનાથી ધોળકાથી આવી વાલિયાના રામપરા ગામે રહેતો હતો. જોકે મીના પર ખોટી શંકા રાખી વારંવાર ઝઘડો પણ કરતો હતો, ત્યારે ગત તા. 25 ઓક્ટોબરની રાત્રે ગણપત કબીરાએ મીના સાથે ફરી ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાઈ જઈ ગણપતે મીના ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગળા, છાતી અને પેટના ભાગે ઘા મારતા ગંભીર ઈજાના પગલે મીનાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

જોકે બનાવ બાદ ગણપત કબીરા ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલો વાલિયા પોલીસ મથકે પહોચતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ સ્થળે તપાસ આદરી પોલીસે મીના પરીખના મૃતદેહને વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ગણપત કબીરાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News