ભરૂચ : મહેસુલી કર્મચારીઓ હડતાળ પર, કચેરીઓ સુમસાન, અરજદારોને ધરમ ધકકા

Update: 2019-12-10 11:42 GMT

રાજયભરના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઇ અચોકકસ

મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે ત્યારે ભરુચમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કલેકટર

અને મામલતદાર કચેરીમાં કામગીરી ઠપ થતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.

આપ જે દશ્યો જોઇ રહયાં છો તે ભરૂચની કલેકટર અને મામલતદાર

કચેરીના છે. રોજના હજારો અરજદારોની અવરજવરથી ધમધમતી કચેરીઓમાં ખાલી ખુરશીઓ જોવા

મળી રહી છે અને તેનું કારણ છે મહેસુલી વિભાગના કર્મચારીઓની હડતાળ. રાજય સરકાર

તરફથી પડતર માંગણીઓ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતાં કર્મચારીઓ સોમવારના

રોજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાળના

કારણે કલેકટર અને મામલતદાર કચેરી સુમસાન ભાસી રહી છે. બંને કચેરીઓમાં કામકાજ માટે

આવતાં અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સરકાર વહેલી તકે કર્મચારીઓની

માંગણી પરત્વે ધ્યાન આપે અને કચેરીઓ ફરીથી રાબેતા મુજબ થાય તેવી માંગ અરજદારો કરી

રહયાં છે.

Similar News