ભરૂચ : ઉમલ્લા નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Update: 2021-01-23 11:53 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક અછાલિયા ગામ પાસે સ્ટેટ હાઇવે પર જીઇબી કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકસવાર યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામે રહેતા સતીષ વસાવા પોતાની બાઈક લઈ અછાલિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન જીઇબી કેનાલ પાસે કોઇ અજાણ્યા વાહને બાઈકસવાર યુવાનને અડફેટે લઈ ટક્કર મારી હતી, ત્યારે બાઇકસવાર યુવાન રોડ પર ફંગોળાઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેના પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવાનના સ્વજનોએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News