અંકલેશ્વર: સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી નંદુરબારથી ઝડપાયો,પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપાયો હતો

Update: 2023-06-05 11:46 GMT

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપાયો હતો

ગત તારીખ-૧૫મી મેના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષ ચાર મહિનાની સગીરા સોસાયટીમાં આવેલ મંદિરે જવાનું કહી નીકળી હતી જે મોડી સાંજ સુધી પરત નહિ આવતા તેની પિતા અને પરિવારજનોએ ભારે શોધખોળ કરતા તે મળી આવી ન હતી જેને પગલે તેણીના પિતાએ તેણીનું કોઈક ઇસમ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જી.આઈ.ડી.સી.પોલીસે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર કોસમડીની સાંઈ રેસીડેન્સીમાં રહેતો દીપક બાબુલાલ ફકીરાને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News