અંકલેશ્વર: APMCના બીનહરીફ થયેલ સભ્યોનો સન્માન સમારોહ યોજાયો,MLA ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યોએ ઉમેદવારી કરી હતી
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યો બિનહરીફ જાહેર થતા એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યોએ ઉમેદવારી કરી હતી જો કે કરશન પટેલની પેનલ સામે કોઈ પણ ઉમેદવારી પત્રો નહિ ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા કરશનપટેલ સહીત તમામ સભ્યોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કરશનભાઇ પટેલ સહીત તમામ બિનહરીફ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વર્તમાન ચેરમેન કરશનભાઇ પટેલ સહીત તેમના સભ્યો અને અન્ય આગેવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને મારૂતીસિંહ અટોદરિયાનું પણ પુષ્પગુચ્છ વડે સન્માન કર્યું હતું