અંકલેશ્વર : બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-11-30 13:05 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર બી.કે. શિવાનીદીદીનું જીવન ઉપયોગી માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું.

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ તેમજ ઓમકાર ગ્રુપ દ્વારા અંક્લેશ્વરના વાલિયા રોડ પર આવેલ ઓમકાર એક્સોટીકા ખાતે પ્રથમ વખત ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર બી.કે. શિવાનીદીદીના આધ્યાત્મિક પ્રવચન “નઈ સોચ નઈ પ્રગતિ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર-ભરૂચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર બી.કે. શિવાનીદીદીએ વર્તમાન સમયની સમસ્યાના સમાધાનરૂપી જીવન ઉપયોગી માર્ગદર્શક વક્તવ્ય તેઓની ચિર પરિચિત શૈલીમાં આપ્યું હતું. કાર્યકમ નિમિતે આધ્યાત્મિકતાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યકમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાલમાં જ સંસ્થાના હેડ ક્વાટર આબુ સ્થિત જ્ઞાન સાગર કેન્દ્રના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ પામનાર બી.કે. પ્રભાદીદી, બી.કે. હેતલબેન, અંક્લેશ્વરના બી.કે. અનીલાદિદી સહિત અન્ય બ્રહ્માકુમારી પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં અન્ય લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લઈ જીવન ઉપયોગી કાર્યના સંકલ્પ પણ લીધા હતા.

Tags:    

Similar News