ભરૂચ: અંકલેશ્વરના પીરામણ ગામે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

20 વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Update: 2022-01-19 06:07 GMT

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે ભાડાના મકાનમાં રહેતી 20 વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.નેહા અંકિત યાદવ નામની ૨૦ વર્ષીય પરિણીત મહિલા તેના પતિ સાથે અંકલેશ્વર ખાતે રહેતી હતી. દરમિયાન પતિ સાથે પિયરે જવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.બનાવની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે

Tags:    

Similar News