અંકલેશ્વર: યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ,92 વિદ્યાર્થીઓને ડીગ્રી અપાઈ

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન પદવીદાન સમારોહનું આયોજન ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું.

Update: 2023-10-27 06:39 GMT

અંકલેશ્વર ખાતે યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરનાર પાંચ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન પદવીદાન સમારોહનું આયોજન ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આ.ઇ.સી.ટી, મુંબઈના ઉપકુલપતિ અનિરુદ્ધ બી પંડિત હજાર રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. શ્રીકાંત વાઘે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હાજર મહાનુભાવોની હાજરીમાં 92 વિદ્યાર્થીઓને તેઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરનાર પાંચ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથી અનિરુદ્ધ પંડિત દ્વારા વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્ર અને ભવિષ્યમાં આવનારી ઉજ્જવળ તકો વિષે જાણકારી આપી હતી.

Tags:    

Similar News