અંકલેશ્વર: રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે ક્યારે બાંધવી રાખડી? જુઓ સચોટ માર્ગદર્શન
રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે રાખડી બાંધવા માટે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે
રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે રાખડી બાંધવા માટે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના શાસ્ત્રી રવિન્દ્ર વ્યાસ દ્વારા આ અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી
શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઇને મતમતાંતર સર્જાયા છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે.