ભરૂચ: BJPના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-13 07:04 GMT

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,લોકસભાના સંયોજક યોગેશ પટેલ,જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધીઓ ગણાવી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા

Tags:    

Similar News