ભરૂચ : ઝાડેશ્વર રોડ પર રાજ સ્કીન કેર ક્લિનિકમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ...

ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

Update: 2023-09-02 08:47 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, જિલ્લામાં ખાસ કરી ઔધોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવ્યા હતા. જે બાદ આજરોજ વધુ એક આગની ઘટના પૂર્વ ભરૂચના વિસ્તારમાંથી સામે આવી છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર જ્યોતિનગર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષ ખાતે રાજ સ્કીન ક્લિનિકમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી હતી. ક્લિનિકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થળ પર હાજર લોકોએ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી. બનાવ અંગેની માહિતી મળતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો લાયબંબા સાથે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News