ભરૂચ:શણકોઈ ગામે ૯ ઝુંપડા વનવિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.

Update: 2023-06-24 11:09 GMT

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.સ્વાભાવિક છેકે,પરીવારનો વિસ્તાર થાય એટલે પરીવારના સભ્યોને ઘરમાં રહેવા માટે અગવડનો સામનો કરવો પડે છે.એટલે રસ્તાની સમાંતર જ જંગલની જમીનમાં શણકોઈ ગામના રહીશોએ ૯ જેટલા ઝુંપડા બનાવ્યા હતા.પરંતુ જંગલની જમીનમાં ઝુંપડા બનાવ્યાની જાણ નેત્રંગ વનવિભાગને થતાં ઝુંપડા ખાલી કરવા વનવિભાગે કાયઁવાહી હાથધરી હતી.ત્યારબાદ માર્ચ-૨૦૨૩માં ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની અધ્યક્ષસ્થાને નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચી અને શણકોઈ ગ્રામજનો વચ્ચે વાટાઘાટ થયો હતો.બંને પક્ષોની સંમિતિથી આખરે મામલો શાંત પડ્યો હતો.પરંતુ વિવાદનો સુખેદ અંત નહીં આવતા નેત્રંગ વનવિભાગે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેનાર સામે લાલ આંખ કરતાં તમામ ૯ ઝુંપડા પુરતા બંદોબસ્ત તોડી પાડતા મામલો ગરમાયો હતો.ગ્રામજનોમાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.ઉલ્લેખનીય છે કે,નેત્રંગ વનવિભાગે શણકોઈ ગામે ૯ ઝુંડપા હટાવ્યા પરીવારના સભ્યો ઘરવિહોણા બન્યા છે.ચોમાસાની સિઝનમાં રહેવા-જમવા સહિત માસુમ બાળકો સાથે ક્યાં જવું એક પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.તેવા સંજોગોમાં પદાધિકારીઓ-અધિકારીઓ સાથે મળને શણકોઈ ગ્રામજનોને માળખાકીય રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવમાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Tags:    

Similar News