ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિર યોજાય, 27 ગામના લાભાર્થીઓએ લાભ લીધો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-08-04 11:03 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના 27 ગામોના લાભાર્થીઓએ ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા APMC હોલ ખાતે જન અધિકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાએ હાજરી આપી હતી. આ સાથે જ તેઓએ લાભાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેમજ સમયસર અરજીઓના નિકાલ કરવા માટે ઓપરેટરોને સૂચન કર્યું હતું. આ શિબિરમાં આધાર સંબંધિત બાબતો, રેશનકાર્ડ સંબંધિત બાબતો, સમાજ સુરક્ષા સંબંધિત બાબતો અને વારસાઈને લગતી અરજીઓ લેવામાં આવી હતી. એક જ જગ્યાએ તમામ કામો થઈ જતાં લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News