ભરૂચ : પત્નીના આડા સંબંધનો વહેમ રાખી 2 શખ્સોએ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ...

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત 2 ઇસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

Update: 2024-01-27 12:04 GMT

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત 2 ઇસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ભરૂચના કસક વિસ્તાર સ્થિત નવજીવન ઝૂપડપટ્ટી અને હાલ ભરૂચના ઘી-કુડીયા સ્થિત સુપર માર્કેટ સામે રહેતી સોનલ વસાવાના પતિ કરણ વસાવા ગતરોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયા હતા. તે દરમિયાન પતિ કરણ વસાવાનો તેની બહેન જોશના વસાવા પર ફોન આવ્યો હતો, અને અહિયાં ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે, ત્યાં ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી ખાતે રહેતો અર્જુન વસાવા અને લાલા વસાવા ઊભા છે, જે બંને ડોળા કાઢે છે. તેવું કહેતા બહેન જોશના વસાવાએ કરણ વસાવાને ઘરે આવવાનું જણાવ્યુ હતું. જે બાદ યુવાન કઈક સમજે તે પહેલા જ પત્નીના આડા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ તરફ બહેન જોશના વસાવાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં જોતાં કરણભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કરણ વસાવાનું કરૂણ મોત નીપજયું હતું. તો બીજી તરફ, હત્યા અંગે ભરૂચ સી’ ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News