ભરૂચ: ભાજપના અનુસુચિત જાતિ મોરચાનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ BJP અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ જિલ્લાના સભ્યો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

Update: 2023-11-21 11:19 GMT

ભરૂચ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ જિલ્લાના સભ્યો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

દેશ અને ગુજરાતભરમાં દિવાળી તહેવારો બાદ આવનાર લોકસભાની ચૂંટણી પડઘા વચ્ચે દરેક પક્ષ પોતાના કાર્યકરો અને જનતાને લુભાવાની શરૂઆતો કરી છે ત્યારે આવનારા સમય ભાજપની પાંખ એવા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા "સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી "ના ભાગરૂપે દરેક જિલ્લામાં અને તાલુકાઓમાં ભાજપ અનુસૂચિત જાતિના હોદ્દેદારો અને કાર્યકરો સાથે સ્નેહમિલન સમહારો અને શુભેચ્છા મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજાય રહ્યા છે જે અંતર્ગત ભોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ સત્સંગ હોલ ખાતે અનુસૂચિત જાતિ મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાએ "સંવિધાન ગૌરવ દિવસ કાર્યક્રમોનું શુભારંભ કરી ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા ના હોદ્દેદારો સાથે

મુલાકાત કરી હતી.આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા 

Tags:    

Similar News