ભરૂચ: હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Update: 2023-12-31 12:20 GMT

ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા શહેરના મધ્યમમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમિતિના પ્રમુખ ખુમાંનસિંહ વાસીયાની અધ્યક્ષતામાં ગંગાસ્વરૂપ બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું.આ સંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ગંગાસ્વરૂપા વિધવા બહેનોની ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બદલ હકારાત્મક નીતિ વિશે નિર્ણય લેવા બદલ વિધવા બહેનોએ સરકારનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપ બહેનો ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા,જંબુસરના ધારાસભ્ય ડી.કે સ્વામી,ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભાજપ મહામંત્રી નિરલ પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ખેડૂત સમાજ અગ્રણી દેવુભા કાઠી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News