ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,

Update: 2023-11-07 08:51 GMT

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેવી દેવતાના ફોટોવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એજ લક્ષ્ય સંગઠનના દિપાલી બારોટ, ભગીરથસિંહ રાઠોડ, વિકાસ મહેતા સહિતના સભ્યો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યંા હતું.

Tags:    

Similar News