ભરૂચ : વડોદરાના તબીબને કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી કરવી હતી આત્મહત્યા, સી' ડીવીઝન પોલીસે બચાવ્યો...

ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી

Update: 2022-09-21 12:01 GMT

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ કરી એક યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યાના ગણતરીના કલાકોમાં જ વડોદરા અમિતનગર ખાતે રહેતા તબીબ 90 કિમી બાઇક હંકારી ઝાડેશ્વર કેબલ બ્રિજ પરથી આત્મહત્યા કરવા આવી પોહચ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી' ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી કે, એક યુવાન ઝાડેશ્વર કેબલ બ્રીજ ઉપર આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતા પાણીના કારણે પહેલેથી જ પોલીસ પેટ્રોલિંગમાં હતી, અને તે દરમ્યાન બ્રીજ ઉપરથી એક યુવાન ચાલતો-ચાલતો જતો હતો.

જેથી પોલીસે તેને પુછવા જતા તેણે તુરંત જ બ્રીજ ઉપરથી નદીમાં છલાંગ મારવાની તૈયારી બતાવી હતી. જોકે, સર્વેલન્સ ટીમના માણસોએ સતર્કતા દાખવી દોડી જઈ યુવાનને બચાવી લઈ બ્રીજ ઉપર ખેચી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવાનને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેઓ પોતે ડેન્ટીસ્ટ ડૉક્ટર હોય અને વડોદરા શહેરના કારેલીબાગ અમીતનગર સર્કલ પાસે આવેલ બાલાજીનગર સોસાયટી ખાતેનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોતાના ઘરેથી રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે લગ્ન જીવનથી તથા ઘર કંકાસથી કંટાળી જઇ વડોદરાથી બાઇક લઇને ભરૂચ ઝાડેશ્વર કેબલ બ્રીજ ખાતે આત્મહત્યા કરવા આવી ગયો હતો. યુવાનનું પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ગોહિલ દ્વારા કાઉન્સિલીંગ બાદ તેના માતા-પિતાનો સપંર્ક કરી તેને સમજાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.

Tags:    

Similar News