ભાવનગર : અસ્થિ વિસર્જન કરવા આવેલાં પરિવારના 3 સભ્યો દરિયામાં ડુબ્યાં

Update: 2020-10-18 13:08 GMT

ભાવનગર નજીક આવેલાં નિષ્કલંક મહાદેવના મંદિર પાસે દરિયામાં અસ્થિ વિસર્જન કરવા માટે આવેલાં એક જ પરિવારના 3 સભ્યોના દરિયામાં ડુબી જવાના કારણે મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

ભાવનગર નજીકનું કોળિયાક એટલે કે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. આ દરિયામાં અસ્થિ વિસર્જન માટે બાવળાના લાભુભાઈ રમતુંભાઈ  નાયક પોતાની પત્ની,પુત્ર અને પુત્રી અસ્થિ વિસર્જન માટે આવ્યા હતાં. અસ્થિ વિસર્જન બાદ લાભુભાઇ તેમનો 13 વર્ષનો પુત્ર જયેશ અને 17 વર્ષીય પુત્રી સરોજ સાથે દરિયામાં ન્હાવા માટે ગયાં હતાં. જયાં તેઓ દરિયાના ધસમસતા પ્રવાહમાં તણાય ગયાં હતાં. પત્નીની નજર સામે જ પતિ, પુત્ર અને પુત્રી દરિયામાં ડુબવા લાગ્યાં હતાં. આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં પણ પ્રવાહ વધારે હોવાથી તેમને બચાવી શકાયા ન હતાં. દરિયામાંથી મળી આવેલાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોળિયાક ખાતે ખસેડવામાં આવ્યાં છે.

Tags:    

Similar News