ભાવનગર : આર.ટી.ઓ. કચેરી દ્વારા પાલીતાણા તાલુકામાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

Update: 2020-09-18 15:12 GMT

ભાવનગર: તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે.

જેમા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા ખાતે તા.૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન સરકારી વિશ્રામગૃહ ખાતે વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Tags:    

Similar News