ભાવનગર : શિહોરમાં ડૉ.બાબાસાહેબની પ્રતિમા ખંડિત, જુઓ શું છે ઘટના

Update: 2020-07-13 10:53 GMT

ભાવનગરના શિહોરમાં ડૉ. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ટીખળબાજોએ પ્રતિમાના મુખને ડોલથી ઢાંકી દઇ બાજુમાં દારૂની ખાલી બોટલ મુકી દેતાં દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ દેશ અને વિશ્વમાં સ્થાપિત કરવામાં આવી છે. ભાવનગરના શિહોર શહેરમાં પણ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમા મુકવામાં આવી છે. કેટલાક ટીખળબાજોએ આ પ્રતિમાને ખંડિત કરી છે. પ્રતિમાનું મોઢું ડોલથી ઢાંકી દઇ બાજુમાં દારૂની ખાલી બોટલ મુકવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકો સ્થળ પર એકત્ર થયાં હતાં. તેમણે પ્રતિમાની સાફ સફાઇ કરી હતી. સમાજના લોકોએ આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Similar News