બોલીવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકથી મોત

Update: 2020-07-28 07:28 GMT

બૉલીવૂડ એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમની ઉંમર 55 વર્ષની હતી. શ્રીરામ રાધવનની સાથે સુપરહિટ ફિલ્મ અંધાધૂન અને બદલાપુરમાં પણ કામ કરી ચૂક્યા છે. પરવેઝાની સાથે લાંબા સમયથી કામ કરી રહેલા નિશાંત ખાને કહ્યું કે, પરવેઝ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. ત્યારબાદ તેમને મુંબઈની રુબી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

નિશાંતે કહ્યું કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયું છે. ફિલ્મમેકર હંસલ મહેતા, પરવેઝ ખાનની સાતે ફિલ્મ શાહિદમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં આવેલી ફિલ્મમાં રાજકુમાર રાવે મુખ્યભુમિકા નિભાવી હતી. આ સાથે શાહિદ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

https://twitter.com/mehtahansal/status/1287673615404605447

હંસલે ટ્વિટ કરી કહ્યું કે, સાંભળવામાં આવ્યું છે કે, પરવેઝે દુનિયાને અલવિદા કહ્યું છે. અમે બંન્નેએ શાહિદ ફિલ્મમાં સાથે કામ કર્યું હતુ. તે અક એનર્જી ભરેલો વ્યક્તિ હતો, પરવેઝ તારો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે.

પરવેઝે તેની કારકિર્દીની શરૂઆત એક્શન ડિરેક્ટર અકબર બક્ષીને આસિસ્ટ કરવાની સાથે કરી હતી.અકબરે અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી, શાહરુખ ખાનની ફિલ્મ બાઝીગર અને બૉબી દેઓલની ફિલ્મ સોલ્જરમાં આસ્સિટ કર્યો હતો.

Similar News