ભરૂચ : બહુચરાજી મંદિરની ગૌ-શાળામાં આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

Update: 2023-08-26 14:33 GMT

વેજલપુરમાં બહુચરાજી મંદિરની ગૌશાળામાં લાગી

ગૌ-શાળામા આગ લાગતાં લોકોમાં મચી નાસભાગ

ફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર મેળવ્યો કાબુ


મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરની ગૌ-શાળામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે બહુચરાજી મંદિરની ગૌ-શાળામાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી.

બનાવ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરોએ લાયબંબા સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહત અનુભવી હતી.

Tags:    

Similar News