Exclusive : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આતંકી યાસીન ભટકલને તપાસ અર્થે ભરૂચ લવાયો

Update: 2017-04-04 07:32 GMT

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ અને સુરત બોમ્બ પ્લાન્ટિંગના આરોપી આતંકી યાસીન ભટકલને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે તપાસ કરવામાં આવી છે.

અમદાવદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આતંકી યાસીન ભટકલને લઈને ભરૂચના શેરપુરા ખાતે પહોંચી હતી. અમદાવદ બોમ્બ બ્લાસ્ટ અને સુરત બોમ્બ પ્લાન્ટિંગ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સિમિના સાજીદ મન્સુરી સાથે બોમ્બમાં ભરૂચના શેરપુરામાં શર્કિટ લગાવવામાં આવી હતી.જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શેરપુરામાં બોમ્બ બનાવ્યા બાદ ભટકલ બંધુઓ દ્વારા બોમ્બ પ્લાન્ટિંગ અમદાવાદ અને સુરત ખાતે કરવાની જવાબદારી સિમિની સ્લીપર સેલને સોંપાય હતી, એકજ દિવસમાં સુરત માંથી

21 બોમ્બ મળી આવ્યા હતા, આ બોમ્બ માં લગાવાયેલ શર્કિટ ડિફ્યુઝ થતા નસીબે સુરતમાં એકપણ બોમ્બ ફાટ્યો નહતો,જ્યારે અમદાવાદ માં બોમ્બ બ્લાસ્ટ થતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

Similar News