તમે તમારા વધારે ખરતા વાળને અટકાવવા માંગો છો, તો કરો આ તેલનો ઉપયોગ

સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે.

Update: 2021-11-24 10:22 GMT

સરસવના તેલનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ વાળને કાળા, જાડા અને સુંદર બનાવવા માટે પણ થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર સરસવનું તેલ વાળ ખરતા અટકાવે છે, સાથે જ વાળને મજબૂત બનાવે છે. તે નિર્જીવ અને પાતળા વાળ માટે સૌથી વધુ ઉપયોગી છે. સરસવના તેલમાં આયર્ન, વિટામિન A, D, E અને K, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે વાળને પોષણ આપે છે. સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યાનો સારો ઈલાજ થઈ શકે છે. વાળ ખરવાનું અને નિર્જીવ વાળનું સૌથી મોટું કારણ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ બગડવું છે. સરસવનું તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. તો ચાલો જાણીએ કે સરસવનું તેલ વાળ માટે કેટલું ફાયદાકારક છે.

- સરસવનું તેલ વાળ માટે કુદરતી કંડિશનર છે જે વાળને જાડા અને સ્વસ્થ બનાવે છે. સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ મુલાયમ, સિલ્કી અને જાડા બને છે.

- સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે. જે ખોપરી ઉપરની ચામડીને બેક્ટેરિયા અને ફૂગથી સુરક્ષિત કરે છે.

- જો વાળનો ગ્રોથ ઓછો થતો હોય તો સરસવનું તેલ લગાવો. સરસવના તેલમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ, બીટા કેરોટીન, સેલેનિયમ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

વાળમાં સરસવનું તેલ લગવવાની રીત :-

જો તમારે વાળમાં સરસવનું તેલ લગાવવું હોય તો શેમ્પૂ કરતા પહેલા હાથ પર થોડું સરસવનું તેલ લઈને હથેળીઓ વચ્ચે ઘસો અને વાળના મૂળ સુધી હૂંફાળું તેલ લગાવો. થોડા સમય માટે તેલથી વાળમાં માલિશ કરો અને 1 કલાક પછી વાળને શેમ્પૂ કરો. સરસવનું તેલ તમારા વાળને નરમ અને મજબૂત બનાવશે.

Tags:    

Similar News