અમરેલી: દિવાળીના તહેવારો સમયે બજારમાં મંદીનો માહોલ, વેપારીઓમાં નિરાશા

દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે

Update: 2023-11-11 06:02 GMT

દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા હોવા છતા અમરેલી જિલ્લાના બજારોમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા હોવા છતાં અમરેલી જીલ્લાની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળી જેવો તહેવાર હોવા છતાં અમરેલી, સાવરકુંડલા કે ધારી શહેરમાં બજારોમાં ટ્રાફિક જોવા મળતું નથી.અમરેલી, સાવરકુંડલા અને ધારી શહેરના કપડા બજાર, રેડીમેઇડ, મોબાઈલ શોપ, સહિતની દુકાનોમાં ગ્રાહકો જોવા ન મળતાં વેપારીઓ ચિંતિત બન્યા છે તો દર વર્ષ કરતા આ વર્ષે દિવાળીમાં જબ્બર મંદીના ગ્રહણથી વેપારીઓ નિરાશ થયા છે અને વેપારીઓએ દિવાળીની આશાઓ ફળીભૂત થાય તે માટે અગાઉ સ્ટોક કરી રાખ્યો છે એમાંથી 25 ટકા પણ ગ્રાહકો જોવા ન મળતાં વેપારીઓને મંદીનું ગ્રહણ નડી રહ્યું છે અને વેપારીઓ હતાશ થઈ ગયા છે

Tags:    

Similar News