ભરૂચ નર્મદા મૈયા બ્રિજ તિરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો

Update: 2022-08-14 16:34 GMT

15 મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાયમાં નર્મદા મૈયા બ્રિજ પર તીરંગી રોશની શણગારાયું, તીરંગી રોશની થી શણગાર કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.

આઝાદી કા અમૃત મહોત્સવ અને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભર થનગનાહટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ શહેરને પણ તિરંગી રોશનીઓથી વિવિધ સ્થળોને શણગારવામાં આવ્યા છે.


ભરૂચના મા નર્મદા મૈયા બ્રિજ નીચે પણ તિરંગી રોશનીતિ શણગારતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે તિરંગી રોશનીતિ શણગારેલા બ્રિજની મુલાકાત લઇ ભરૂચની જનતાને રોશની થી જગમગહાટ થતા બ્રિજને જોવા માટે અપીલ કરી હતી.

Tags:    

Similar News