ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો, નવા 34 કેસ નોંધાયા

Update: 2022-04-09 17:42 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થયો છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 34 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 114 પર પહોંચી ગયો છે. 114 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ મોત થયું નથી.ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમદાવાદ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશનમાં 2 અને ગાંધીનગરમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

બીજી તરફ આજે 6 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.10 ટકાએ પહોંચ્યો છે. આજે 34,157 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.10 ટકા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 1207 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 14997 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે

Tags:    

Similar News