સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ડેપોને નવી 5 બસો ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી

Update: 2024-01-06 16:16 GMT

સુરેન્દ્રનગર-દાહોદ-સુરેન્દ્રનગર રૂટની ૦૨ બસ, સુરેન્દ્રનગર-અંબાજી, સુરેન્દ્રનગર-અમદાવાદ અને સુરેન્દ્રનગર-સોમનાથ રૂટની નવી બસો ફાળવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત એસટી ડેપો મેનેજર અને આગેવાનોએ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.

એસટી વિભાગ દ્વારા નવી ૦૫ એસટી બસ ફાળવતા મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી , એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News